Application for Principal Recruitment Grant-in-Aid Secondary and Higher Secondary Principals
વર્ષ ૨૦૨૩ આચાર્ય ભરતી ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર આચાર્યોની અરજી
1. ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર આચાર્યોની અરજી કરવા માટે કમ્પ્યુટરની લાયકાત ફરજિયાત છે ? તે અન્વયે કેવુ પ્રમાણપત્ર રજુ કરવાનુ રહે ?
હા, મ્પ્યુટરની લાયકાત ફરજિયાત છે . જે ઉમેદવારો ધોરણ - ૧૦/ધોરણ -૧૨ શૈક્ષણિક કે વ્યવસાયિક(અનુ સ્નાતકની કક્ષાએ કમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ હોય તો અલગથી પ્રમાણપત્રની જરૂર નથી. અન્યથા સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ ના ઠરાવ મુજબ પ્રમાણપત્ર રજુ કરવાનુ રહે,ઠરાવ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
2, Document verification માટે સેલ્ફ અટેસ્ટેડ કોપી ચાલશે કે ગેઝેટેડ ઓફિસર પાસે અટેસ્ટેડ કરાવવી પડશે?
Document verification માટે સેલ્ફ અટેસ્ટેડ કોપી ચાલશે તેમજ ગેઝેટેડ ઓફિસર પાસે કરાયેલ પ્રમાણિત નકલ પણ ચાલશે.
૩. તમામ લાયકાતો માટે માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડીગ્રી પ્રમાણપત્ર અસલમાં રજુ કરવા ફરજીયાત છે ? - હા, અરજી સ્વીકાર કેન્દ્ર પર અરજીની ચકાસણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ તમામ લાયકાતો અને અનુભવ સબંધિત ગુણપત્રકો પ્રમાણપત્રકો/ટ્રાયલ સર્ટી ફરજિયાત અસલમાં રજુ કરવાના રહેશે.
4. CGPA/SGPA/CPI/GRADE ને ટકા/ગુણ માં કેવી રીતે ફેરવાશે? જો ઉમેદવારના ગુણપત્રકમાં મેળવેલ ગુણ કુલ ગુણ દર્શાવેલ હોય તે અરજી ફોર્મમાં દર્શાવવાના રહેશે. ટકા દર્શાવ્યા હોય તો તેને ગુણમાં રૂપાંતરીત કરી દર્શાવવાના રહેશે દા.ત. ૫૮.૫ ટકા હોય તો મેળવેલ ગુણ ૫૮૫ અને કુલ ગુણ ૧૦૦૦ પરંતુ જો આ બંનેમાંથી કાંઇ દર્શાવેલ ન હોય તો સંબંધિત યુનિવર્સિટી અથવા કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર મેળવી તે મુજબ અરજી ફોર્મમાં દર્શાવવાના રહેશે.
5. ચાલુ નોકરી દરમ્યાન External/Distance Learning થી લાયકાત મેળવેલ હોય તો માન્ય ગણાય ? ચાલુ નોકરી દરમ્યાન External/Distance Learning થી મેળવેલ લાયકાત અન્વયે નિમણુક સત્તાધિકારીની પુર્વ મંજુરી આવશ્યક છે.તેમજ,રાજ્ય બહારની ઓપન યુનિવર્સીટીની અને ડીસ્ટન્સ લર્નીંગ દ્વારા મેળવેલ ડીગ્રી માન્ય ન હોઈ તેવી લાયકાત ગ્રાહ્ય રહેશે નહીં. ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય તથા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની લાયકાત માન્ય ગણાશે,
6. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મ માં પાછળથી વિગત સુધારવા શું કરી શકાય ?
૮ ઉમેદવારો ઓનલાઇન અરજી ફી ભરી ફાઇનલ સબમિટ નહીં આપે ત્યાં સુધી પોતાની અરજીની વિગતો edit કરી શકશે, ઓનલાઇન અરજી ફી ભરી ફાઇનલ સબમિટ આપ્યા બાદ ઉમેદવાર અરજીમાં કોઈ સુધારા-વધારા કરી શકશે નહિં. તેની ખાસ નોંધ લેવી. તેમજ આ અંગે કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
7. ફસ્ટ ક્લાસ / સેકન્ડ ક્લાસ) પાસ ક્લાસ સુધી પહોંચાડવા જે તે યુનિવર્સિટી દ્વારા અપાયેલ ગ્રેસિંગના માર્ક્સ ગણવા કે કેમ?
૮ ઉમેદવારે મેળવેલ ગુણ જ ધ્યાને લેવાના રહે. ગ્રેસિંગથી વધારાના અપાયેલ ગુણ ગણવા નહિં.
8. ઓનલાઈન અરજી ફોર્મમાં અનુભવ ક્યાં સુધીનો દર્શાવવાનો રહેશે.
• આચાર્ય ભરતી પ્રક્રીયાની જાહેરાતની તારીખ તા.૧૦/૦૫/૨૩ સુધીનો અનુભવ ગણવો.
9. શૈક્ષણિક કે વ્યવસાયિક લાયકાતમાં ૦૨ કે તેથી વધુ પ્રયત્નો હોય તો ગુણાંકન કેવી રીતે ગણી શકાય? ઉમેદવારો દ્વારા આપેલ તમામ પ્રયત્નોના કુલ ગુણ તથા તમામ પ્રયત્નોમાં મેળવેલા ગુણનો સરવાળો કરવો અને તે તમામ પ્રયત્નોના મેળવેલા ગુણ અને તમામ પ્રયત્નના કુલ ગુણના આધારે ટકાવારી કરવાની રહે.
10. જો લોગ-ઇન થવા માટે અગાઉ set કરેલ પાસવર્ડ ભુલાઇ ગયેલ હોય તો લોગ-ઇન કેવી રીતે થવાય ?
• જો આપ અગાઉ 5et કરેલ પાસવર્ડ ભૂલી ગયા હોવ તો લોગ-ઇન ચેકબોક્સની નીચે આપેલ Forgot Password? Click Here To Reset Password પર ક્લીક કરતા આપના ઓનલાઇન અરજી ફોર્મમાં રજીસ્ટર્ડ -મુમ-કરેલ મોબાઇલ નંબર પર OTP આવશે આ OTP ની મદદથી પાસવર્ડ Reset કરી લોગ-ઇન થઇ શકાશે. 11. ઉમેદવારે પોતાના ગુણ ભરવામાં ભુલ થયેલ હોય તો તેમા સુધારો થઈ શકશે?
જહા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે આપ તમારા જે ગુણપત્રકો/પ્રમાણપત્રકો રજુ કરશો તેના આધારે જે ખરેખર ગુણાંકન હશે તે જ ધ્યાને લેવામાં આવશે.
12. આચાર્ય ભરતી માટે ઉપલી વય મર્યાદા છે કે કેમ? ૐ ના આચાર્યની જગ્યા માટે કોઈ ઉપલી વય મર્યાદા નથી.
13. ફક્ત BPE કે MPE ની લાયકાત મેળવી વ્યાયામ શિક્ષક તરીકે નિયમિત નિમણૂંક મેળવી ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવનાર ઉમેદવાર આચાર્ય તરીકે નિમણૂંકને પાત્ર ઠરશે કે કેમ?